ગયા અઠવાડિયે આપણે લાલિયા અને મોતિયાની વાર્તા કરી. રાગ-દ્વેષ નામના કૂરકૂરિયાં આમ કાઢી નાંખવા એટલાં સહેલા નથી. આ જન્મમાં આ શરીર મળ્યું. ગયા જન્મમાં કયું હતું અને હવે પછી શું મળશે તેની ખબર નથી પરંતુ અહીં તો પૂરા જોરથી આપણાં અહંકારને હારવા દેતા નથી.
ગીતા સાતમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાનો મહિમા મંડન કરવાનું શરૂ કરે છે તેમાં પ્રાર્થનાના મહત્વ ઉપર જોર આપે છે. તેઓ કહે છે કે જેઓ જે માટે જેને ભજે તે તેને પ્રાપ્ત થાય છે. કોઈ દુઃખ નિવારણ માટે, કોઈ ધન માટે કોઈ જ્ઞાન માટે જે જે દેવોને ભજે છે તે તેને મેળવે છે. જેમકે આપણે વિધ્ન હરવા ગણપતિ. ધન માટે લક્ષ્મી, વિદ્યા માટે સરસ્વતીની પૂજા કરીએ છીએ. જે લોકો સાંસારિક પદાર્થો જેવી કે પુત્રેષ્ણા, ધનેષણા કે નામેષણા માટે દેવ ભજે છે તે ભજવું ખોટું નથી, તે તેને મેળવે પણ છે પરંતુ આત્મજ્ઞાન મેળવી મુક્તિ મેળવવાની ભગવાનને કરેલી પ્રાર્થના સામે તે સાવ ક્ષુલ્લક છે.
એક ભાઈ વરસાદમાં જતાં હતાં. તેમને તરસ લાગી તેથી પાણી માંગતા હતાં. તેને સામે મળેલ એક ભાઈએ કહ્યુ કે પાણી તારી સામે છે, તારે તો માત્ર હાથ લાંબા કરી ખોબો ભરવાનો છે. ભગવાનની કૃપા અહર્નિશ વરસી રહી છે. જરૂર છે માત્ર આપણે પ્રાર્થનાના હાથ ફેલાવવાની. પછી તે પ્રાર્થના મંદિરે થાય, મસ્જિદે થાય, દેવળે થાય કે પોતાના ઘેર થાય, ભાવ અગત્યનો છે. પરમાત્મા તો આપણી અંદર રહેલી દિવ્યતામાં કાયમ બિરાજમાન છે. બસ આપણે તેને ઓળખી શકતા નથી. કદાચ આપણી સમજણને ત્યાં સુધી પહોંચવાની સમજણ નથી. આપણી બુદ્ધિનો સંકોચ આપણને આપણાં સાંસારિક સંકોચનમાંથી બહાર આવવા દેતો નથી.
એક મંદ બાબા હતાં. ભિક્ષા લઈ પોતાનું ગુજરાન ચલાવતા. જે કોઈ સામે મળે તેની પાસે એક પૈસાની ભિક્ષા માંગે. એક વખતે એક ઉદાર અને દાની રાજા તે તરફથી પસાર થયો. મંદબાબા દોડ્યા અને માંગી એક પાઈ. રાજાએ પાઈ દઈ દીધી અને આગળ નીકળી ગયો. પરંતુ લોકોએ જોયું કે મંદબાબાએ જો બરાબર માંગ્યું હોત તો બાકીના સમય માટે તેનો પાઈનો રઝળપાટ મટી ગયો હોત.
આપણે પણ ભગવાનની કૃપાનો વરસાદ વરસી રહ્યો છે, હાથ આગળ કરી બસ પ્રાર્થના કરવાની છે અને આત્મજ્ઞાન માંગવાનું છે પરંતુ ભટકી રહ્યા છીએ. હ્રદયના ઊંડાણથી કરેલી કોઈની પ્રાર્થના ખાલી ગઈ નથી. હાં કોઈનું બૂરું કરવાની માંગણી નામંજૂર થઈ શકે પરંતુ પોતાનું અને જનકલ્યાણ માટેની પ્રાર્થના સ્વીકારાય છએ.
પસંદ આપણએ કરવાની છએ.
મંદબાબા બનવું કે મુક્તાત્મા?
૮ જુલાઈ ૨૦૨૫
Tuesday, July 8, 2025
Thursday, July 3, 2025
मेरे घर आँगन पंछियों का डेरा।
मेरे घर के दायें एक बगीचा है। बगीचे में तालाब। घर के सामने एक और बगीचा। वर्षा ऋतु में चारों और हरियाली ही हरियाली।शहर में गाँव का आनंद। पंछियों का जमावड़ा बना रहता है। यूँ तो हर मौसम में उनकी हाज़िरी रहती है लेकिन वर्षा ऋतु में ख़ास कर जून जुलाई महीनों में उन्हीं की प्रजनन प्यास की आवाज़ से नभ गूँज उठता है। पंछी इतने हैं कि सूर्य के उदय होते ही साढ़े छ: से साढ़े आठ तक चिड़ियों की चहचहाहट शोरगुल में बदल जाती है। दिन में कुछ विश्राम के बाद सूर्यास्त के वक्त वे फिर शुरू हो जाते है।
तालाब की वजह से टिटिहरी यहां अधिक है जो ‘did you do it’ की ध्वनि से रात दिन अपने अंडों और चूज़ों की रक्षा में बोलती रहती है। वे पेड़ पर बैठती नहीं लेकिन अपने लंबे और पतले पैरों से तालाब के किनारे घूमती रहती है। टिटिहरी एक ही ऐसा पक्षी जो रात में भी उड़ता और बोलता रहता है। इसके जितनी सावधानी शायद किसी की नहीं देखी। याद हैं न उसके अंडे जब दरिया की लहर में डूबे थे तब वह अपनी छोटी चोंच में रेती के कण भर दरिया को डूबाने चली थी। उसे यह परवा नहीं थी की दरिया को डूबाने का काम कब ख़त्म होगा, वह कब तक जिएगी, लेकिन वह अपने लक्ष्य पर क़ायम थी।
कुहू कुहू बोले कोयलिया कुंज-कुंज में भंवरे डोले गुन-गुन बोले कुहू कुहू बोले। ग्रीष्म और वर्षा का संधिकाल हो और कोयल की कूक-ऊ सुनाई न दे ऐसा कैसे हो सकता है? नर को मादा के बिना चैन नहीं इसलिए भोर होने से पहले ब्राह्म मुहूर्त से पहले तीन बजे मुर्ग़े की बाँग से पहले जगा देता है। मादा कोकिला तो शांत लेकिन नर ही गाता है। नर कोयल का रंग नीलापन लिए काला होता है, जबकि मादा कोयल तीतर की तरह धब्बेदार चितकबरी होती है। उसकी आंखें लाल होती हैं और पंख पीछे की ओर लंबे होते हैं। उसके अंडों को कौए से खतरा रहता है इसलिए वह कौए के घोंसले में ही अंडा रख आती है। बेचारा कौवा कुछ समझे तब तक चूज़े अंडे से बाहर निकल उड़ जाते है। काकः कृष्णः पिकः कृष्णः को भेदः पिककाकयोः।वसन्तसमये प्राप्ते काकः काकः पिकः पिकः॥ कौआ काला है, कोयल भी काली है, कौवे और कोयल में क्या अंतर है? वसंत ऋतु आने पर, कौवा कौवा और कोयल कोयल होती है। जिसको मीठा बोलना आ गया मानो जीवन सफल हो गया। काला हो या गोरा, नाटा हो या ऊँचा, मधुर ध्वनि से जीवन सरल हो जाता है।
बोले रे पपीहरा पपीहरा नित मन तरसे, नित मन प्यासा नित मन प्यासा, नित मन तरसे बोले रे। ‘पी कहाँ? पी कहाँ?’ बाबूल का घर छोड़ पिया मिलन की तड़प का गाना गानेवाला पपीहा वर्षा ऋतु की आन बान और शान है। वर्षा की शुरुआत होते ही इसकी आवाज़ हमारे कानों में गूँजती रहती है। इसका यह प्रजनन काल है जिसमें नर तीन स्वर की आवाज़ दोहराता रहता है जिसमें दूसरा स्वर सबसे लंबा और ज़्यादा तीव्र होता है। यह स्वर धीरे-धीरे तेज होते जाते हैं और एकदम बन्द हो जाते हैं और काफ़ी देर तक चलता रहता है; पूरे दिन, शाम को देर तक और सवेरे पौं फटने तक, यह जैसे बोलते थकता ही नहीं। उसकी ध्वनि सुरीली है लेकिन एकाग्रता को भंग ज़रूर कर देगी। यह दिखता है छोटे शिकरे की तरह और उड़ता बैठता भी है शिकरे की तरह लेकिन हिंसक नहीं। पपीहा अपना घोंसला नहीं बनाता है और दूसरे चिड़ियों के घोंसलों में अपने अण्डे देता है।
नाचे मन मोरा, मगन, धीगधा धीगी धीगी, बदरा घिर आये, रुत है भीगी भीगी। वर्षा ऋतु मे हमारा राष्ट्रीय पक्षी नीलरंगी मोर कहाँ छिपेगा? नर मोर अपनी मोरनी को खुश करने अपने से जितना हो सके चिल्लाकर राजसी ध्वनि निकालकर और अपने पंख फैलाकर नाचता हुआ मनाता रहता है। मोरनी है तो दिखने में कमजोर लेकिन मोर की चाहत है इसलिए भाव बढ़ाती है। विरह की आंग में रोता मोर अच्छा नहीं लगता लेकिन नाचता झूमा देता है।
यहां कौए भी कम नहीं। का का कूक कर्कश आवाज करता यह पक्षी इधर उधर उड़ता रहता है और सब के अंडे खा जाता है। लेकिन कोयल उसे मूर्ख बनाकर अपने अंडे का सेत कराकर बचा लेती है। बच्चों की पाठशाला की पहली कहानी कौवे की है। एक प्यासा कौवा था। पानी की तलाश में उड़ता है और उसे एक घड़ा मिलता है, जिसमें पानी बहुत कम होता है। कौवा हार नहीं मानता, और अपनी चतुराई से कंकड़ जमा करके घड़े में डालता है, जिससे पानी ऊपर आ जाता है और वह अपनी प्यास बुझा पाता है। हिंदू धर्म शास्त्रों में काकभुशुंडि को ऋषि का दर्जा प्राप्त है। श्राद्ध की खीर कौवा खाता है। कोई कौवा मरेगा तो जैसे बेसना हो, समूह इकट्ठा होगा, कुछ देर बैठेगा और उड़ जाएगा। कु्त्ते को खाना मिले तो अकेला खाएगा और बचा छिपा देगा लेकिन कौवा खाना मिलने पर अपने साथियों को आवाज देकर पुकारेगा। मिल बांट कर खाने की सीख कौवा देता है।
ओ री गौरैया! क्यों नहीं गाती अब तुम मौसम के गीत।गौरैया की संख्या कम हुई, लेकिन है। चारों और पंछियों की चहचहाहट में वह अपनी चीं चीं चीं से हाज़िरी लगवाती रहती है। हमारे हिरण्य और धैर्य पूछते रहते कि चकी लाईं चावल का दाना और चका लाया मग का दाना, उसकी पकी खिचड़ी। खिचड़ी कौन खा गया? बच्चों की यह फ़ेवरिट कहानी है।
यहाँ सारस पंछियों की दो जोड़ रहती है। उनकी ध्वनि मधुर नहीं है लेकिन प्यार मुहब्बत से जोड़े में रहे नर-मादा बगीचे में झगड़ते पति-पत्नी के बीच प्यार जगाने की दुहाई देते रहते है। पानी में तैर रहे बगलें, चम्मचचोच और डूबकी की आवाज़ हम तक नहीं पहुँचती लेकिन तालाब के किनारे मोर्निंग वॉक में मन को प्रसन्नता देती है।
तीतर के दो आगे तीतर, तीतर के दो पीछे तीतर, आगे तीतर पीछे तीतर, बोलो कितने तीतर? हमारे घर तीतर का एक जोड़ा आता है और ज्वार के दाने चुभ के चला जाता है। कोई मांसाहारी देख लेता है तो उसके मुँह में पानी आता है लेकिन वे जब आते है हमारे रक्षा कवच में सुरक्षित रहते है।
इन आवाजों में मुर्ग़े की बाँग, कबूतर गुटर गूं, होले घुघु…घु…घु.., बुलबुल की पीकपेरो, तोते की सीटी, सबकी नकलची मैना, सुतली की चीर-चीर-चीर, दर्जी की तुई तुई, कठफोडवे की की-की-की ट्र की तीखी, हुदहुद की हू पू पू, किलकिले की कंपन, दहियर का आलाप, देवचकली की मधुरता, सात भाई बैंबलर की तें तें तें तें की ध्वनियाँ अपनी हाज़िरी लगा देते है।
मेरे घर आँगन पधारो यहाँ सब पंछियों का डेरा।
पूनमचंद
३ जुलाई २०२५
Wednesday, July 2, 2025
અદેખાઈ
અદેખાઈ
લાલિયો અને મોતિયો બે પડોશીઓ હતા. લાલિયો તેની પત્ની, દીકરાઓ, વહુઓ બધાં સંસ્કારી, પરિશ્રમી, ઉદ્યમી અને ધર્મના રસ્તે ચાલનારા. સંપ અને સહકારથી તેમના કુટુંબની ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી હતી. ભાગ્ય પણ તેમને સાથ આપતું. ખેતરમાં જે પણ વાવે ઉતાર આખા ગામ કરતાં વધારે આવે. કૂવામાં પાણી પણ ન સુકાતા. તેમણે રહેવા માટે પાકા ઘર પણ બનાવી લીધાં હતાં. સંસ્કારી કુટુંબ એટલે ભગવાનમાં શ્રદ્ધા રાખે અને નિયમિત ભક્તિ કરે. લાલિયાની સામે પડોશી મોતિયો ગરીબ, વ્યસની. ઘરમાં કજિયા કંકાસ બંધ ન થાય. ઘરમાં કુસંપ હોવાથી ખેતીકામમાં કે ધંધા રોજગારમાં કંઈ ભલીવાર ન પડે અને ગરીબી જાય નહીં. તેને લાલિયાના ઘરની ઈર્ષ્યા અને અદેખાઈ રહેતી. તેના કાન લાલિયાના ઘરના માઠા સમાચાર સાંભળતા લાલાયિત રહેતા પરંતુ તેને કાયમ નિરાશા મળતી. તેને થયું લાવ ભગવાનની ભક્તિ કરી જોવું. જો ભગવાન રાજી થાય અને વરદાન આપે તો બધાં કામ સરળ થઈ જાય. તેણે ભગવાનની ભક્તિ ચાલુ કરી દીધી. પૂજા અર્ચના કરે, મંદિરે જાય, પૂનમો ભરે અને ભગવાનને આજીજી કરે.
ભગવાનને થયું મોતિયો પહેલીવાર મારી ભક્તિ કરે છે. જો તેના પર પ્રસન્ન થઈ વરદાન નહીં આપું તો પાછો ખોટા કામમાં પડી જશે. તેથી મોતિયાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને દર્શન દીધાં અને વરદાન માંગવાનું કીધું. મોતિયાને થયું એક વરદાન માગું અને માંગવામાં ભૂલ રહી જાય તો? તેથી તેણે ચાર વરદાન માંગ્યા. ભગવાને કહ્યું વરદાનો તો આપું પરંતુ મારી એક શરત છે. તું જે માંગે તેનું બમણું લાલિયાને મળશે. મોતિયો મનમાં બોલ્યો, હાલ તો આપણી ગરીબી દૂર કરવી અગત્યની છે. લાલિયાને બમણું મળે તેની હાલ ક્યાં સમસ્યા છે? તેણે શરત કબૂલી એટલે ભગવાન તથાસ્તુ કહી ચાર વરદાન આપી અતંર્ધ્યાન થઈ ગયા.
મોતિયો ખૂબ ખુશ થઈ ઘેર આવ્યો. ખેડૂત માણસ એટલે પહેલાં વરદાનમાં તેણે ૧૦૦ વીઘા જમીન માંગી લીધી. તરત જ તેના ખેતરો મોટા થઈ ૧૦૦ વીઘા થઈ ગયા. પરંતુ આ શું? લાલિયાના ખેતરો ૨૦૦ વીઘા થઈ ગયા. મોતિયાને બળતરા તો થઈ પરંતુ થયું હશે, આપણા પાસે ૧૦૦ વીઘા જમીન તો આવી ગઈ. પછી તેણે ૧૦ કૂવા માંગ્યા. દર દસ વીઘા જમીને એક એક કૂવા આવી ગયાં. પરંતુ લાલિયાના ખેતરમાં પણ ૨૦ કૂવા ગળાઈ ગયા. મોતિયાનો હરખ ઓછો થયો. તેને થયું, માટીના ઘરમાં ક્યાં સુધી રહીશું? તેણે એક પેલેસ જેવું મકાન માંગી લીધું. તેનું મકાન પેલેસ જેવું બની ગયું. પરંતુ પડોશમાં લાલિયાને ત્યાં પેલેસ જેવાં બે મકાન બની ગયા. મોતિયાથી હવે ન જીરવાયું. તેને થયું, ભક્તિ તેણે કરી, ભગવાન તેના પર પ્રસન્ન થયાં, વરદાન પણ તેનાં અને આ લાલિયો ડબલ લાભ લઈ જાય?
તેનો મૂળ સ્વભાવ અદેખાઈનો ઈર્ષાની આગમાં તેનું તન અને મન બળવા લાગ્યું. તેને ૧૦૦ વીઘા જમીન, કૂવાની સિંચાઈ, મબલખ પાક અને પેલેસ જેવા ઘરમાં રહેવાનો આનંદ ન આવ્યો. તેનુ મન ચકરાવે ચડ્યું. હવે માત્ર એક જ વરદાન બાકી છે. એવું તો શું માંગું કે તેનો લાલિયાને લાભ નહીં પણ ગેરલાભ થાય. અદેખાઈએ તેના મન મસ્તિષ્કનો કબજો લઈ લીધો હતો. રાત દિવસ વિચારતાં વિચારતાં તેને એક ઉપાય જડી ગયો. તે સવારે ઉઠ્યો અને ભગવાનને યાદ કરી ચોથું અને છેલ્લું વરદાન માંગ્યું કે, હે ભગવાન મારી એક આંખ ફોડી નાંખ. તેને હતું કે તેની એક આંખ જવાથી કે બીજી આંખથી જોઈ શકશે પરંતુ લાલિયાની બે આંખો ફૂટી જશે તેથી તે આંધળો થઈ જશે. ભગવાન વચને બંધાયા હતાં. મોતિયો કાણો થયો અને લાલિયો આંધળો. પરંતુ લાલિયો સંસ્કારી, તેણે અંધાપાને ભગવાનની મરજી માની સ્વીકારી લીધો. ધીમે ધીમે ધ્યાન ભજનથી તેની અંતઃદૃષ્ટિ ખુલતી ગઈ અને તેને સ્વરૂપનો સાક્ષાત્કાર થયો. વિષયાનંદથી તે મુક્ત થયો અને સ્વરૂપાનંદમાં મસ્ત થયો. તેના સંતાનો સંસ્કારી હતાં તેથી તેમણે લાલિયાની સારી સારસંભાળ રાખી. પરંતુ આ તરફ મોતિયાની કાણી આંખના કારનામા બધાંને ખબર પડી ગયા. ઘરમાં, ગામમાં અને સમાજમાં તેની આબરૂ ઘટી ગઈ. બધાં તેનાથી બધાં દૂર થતાં ગયા. તેનું ઘડપણ કરૂણ સ્થિતિમાં વીત્યું અને તેને મનનું કે તનનું સુખ ન મળ્યું. ભગવાનના ચાર ચાર વરદાને પણ તે ઈર્ષ્યા અને અદેખાઈની આગમાં તે બળતો રહ્યો.
અદેખાઈ કે ઈર્ષ્યાથી આપણે કોઈનું બૂરું કરવા ધારીએ પરંતુ ખરાબ કર્મના ફળ પોતાને ભોગવવા પડે છે. બીજાને તેના સારા કર્મનું સારું ફળ મળવાનું છે તેથી લાલિયાની જેમ તેનું બૂરું ઈચ્છીએ પરંતુ તેનું શુભ થવાનું. તેથી રાગ અને દ્વેષ નામના બે કૂરકૂરિયાં આપણી અંદર પડ્યાં છે તેને દૂર કરી નિર્મળ થઈએ. સફાઈ નહાવા ધોવાની નહીં પરંતુ અંતઃકરણની કરવાની છે.
પસંદગી આપણી પોતાની છે. લાલિયો થવું કે મોતિયો.
ડો. પૂનમચંદ
૨ જુલાઈ ૨૦૨૫
Tuesday, June 24, 2025
મૃત્યુ
ભગવાન બુદ્ધના જીવનની કથા ઘણાંએ સાંભળી હશે. એક માતાનો એકનો એક પુત્ર ગુજરી ગયો. તે દિવસે ગામના પાદરેથી ભગવાન બુદ્ધ પસાર થતાં હતા. રડતી માતા દોડીને બુદ્ધ પાસે ગઈ અને પ્રાર્થના કરી કે તેના પુત્રને તેઓ જીવનદાન આપે. બુદ્ધ કુદરતના નિયમને જાણતા હતાં. તેમણે માતાને સમજાવી પરંતુ તેણે હઠ પકડી રાખી. છેવટે બુદ્ધે કહ્યું કે તે એવા ઘરેથી રાઈ લઈ આવે જ્યાં કોઈનું મૃત્યુ થયું ન હોય. મહિલા આખા ગામમાં ઘેર ઘેર ભટકી પરંતુ મૃત્યુ વિનાનું કોઈ ઘર તેને ન મળ્યું. ભટકતા ભટકતા તેને જીવનનો બોધ સમજાઈ ગયો. મૃત્યુ અવશ્યં ભાવિ છે. તેણે ખૂબ પોક મૂકીને રડી લીધું પરંતુ પુત્રના મૃત્યુને સ્વીકારી તેના અંતિમ સંસ્કાર કર્યા.
૧૨ જૂન ૨૦૨૫ની બપોર, કોને ખબર હતી કે પળમાં શું થવાનું છે. લંડન જવાનું હોય અને તે પણ હવાઈ જહાજમાં. જનારને આનંદ હોય તેનાથી વિશેષ મૂકવા જનારને હોય. વળી જ્યાં જવાના હોય ત્યાં પણ વાટ જોઈને કોઈ હરખાતું હોય. હવાઈ જહાજના ઉડવાના સમયથી બે-ત્રણ કલાક વહેલાં આવી ચેક ઈન કર્યું હોય, એરપોર્ટની લોબીમાં ટહેલ્યા હોય અને જેવો વિમાનમાં પ્રવેશ મળે એર હોસ્ટેસના સ્મિત સ્વાગતને સ્વીકારી પોતાની સીટ પર બેસી સીટ બેલ્ટ બાંધ્યો હોય ત્યારે મનમાં તો બસ હવે ઉડ્યા અને લંડનની સફરે ચાલ્યા સમજો એવો ભાવ હોય. એર હોસ્ટેસ સ્વાગત કરે, સૂચનાઓ સંભળાવે અને કેપ્ટનનો નામ સહિત પરિચય આપે એટલે બસ હવે લંડનનું અંતર ઘટવાનું શરૂ થઈ જાય. જેવું પ્લેન પાર્કિંગમાંથી રન વે પર આવી અને રોલ કરવાનું શરૂ કરે એટલે હ્રદયનો એક ધબકારો અટકી જાય પરંતુ જેવું વિમાન ઉડાન ભરી હવામાં લહેરાય એટલે હાશકારો વર્તાય.
પરંતુ આ શું?
અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈમથકેથી બોઈંગ ડ્રીમલાઈનર ૭૮૭-૮ દિલ્હીથી સવારે આવ્યું છે. પાછલી કાલે તે પેરિસથી દિલ્હી આવીને દિલ્હીમાં રાતવાસો કરી આવ્યું છે. વિમાન છેલ્લે બે વાર ઉડ્યું અને તેના ઉડાન પહેલાં થતી બધી ચકાસણી પાર કરી લીધી છે. પાકિસ્તાન તરફથી એરસ્પેસ બંધ થવાથી વિમાને દરિયાના રસ્તે વધુ રસ્તો કાપવાનો હોઈ વિમાનની બંને પાંખો નીચે રહેલી ટાંકીઓમાં સવા લાખ લીટર જેટલું કેરોસીન બેઝ જેટ-એ ફ્યૂલ ભરેલું છે. ૨૩૦ યાત્રીઓ અને ૧૨ ક્રૂ મેમ્બર સહિત ૨૪૨ માનવો સવાર છે. એક વૃદ્ધ યાત્રી આવ્યા નથી અને એક દીકરી આવવામાં મોડી પડી તેથી રહી ગઈ. ગુજરાતીઓ લંડન જાય એટલે દરેકનું સરેરાશ ૪૬ કિલો ચેકિંગ લગેજ અને સાતેક કિલો હેન્ડલોડ મળી ૫૦-૫૫ કિલો વજનનો લોડ થયો છે. વિમાનની બોડી તો ફાયબર પોલીમરની બનેલી છે પરંતુ વિમાન ૫૭ મીટર (૧૮૬ ફૂટ) લાંબુ, ૧૭ મીટર (૫૬ ફૂટ) ઊંચું અને પાંખો સહિત ૬૦ મીટર (૧૯૭ ફૂટ) પહોળું છે તેથી ખાલી વિમાનનું વજન ૧,૨૦,૦૦૦ કિલો થાય. આમ ૨૪૨ યાત્રીઓ (ક્રૂ મેમ્બર સહિત), તેમનું લગેજ, બળતણ અને વિમાનનું વજન મળી પોણા ત્રણ લાખ કિલો જેટલો ભાર થયો છે. ગૂગલમાં વિમાનનું મહત્તમ ટેકઓફ વજન ૨,૨૭,૯૩૦ કિલોગ્રામ હોય તે સામે વજન વધ્યું જણાય છે.
ઉનાળાની ખરા બપોરનો સમય (૧.૩૮) છે. હજી પૂર્ણિમા પૂરી થઈ જેઠ વદ પડવો શરૂ થયો છે. અમૃત ચોઘડિયું છે. રાહુકાલ શરૂ થવાને હજી વીસ મિનિટની વાર છે. બહાર વાતાવરણમાં ઉનાળાની બપોર હોવાથી ઉકળાટ છે. વિમાન મોટું અને ભારવાળું હોવાથી પાયલોટે પૂરા રનવેનો ઉપયોગ કરી દોડાવી જરૂરી ૨૫૦-૩૦૦ કિલોમીટરની ઝડપ પકડી વિમાનને હવામાં ઉપર લીધું છે. વિમાનનું નાક (નોઝ) પણ ઉપર તરફ દિશા રાખી ગતિ મેળવી રહ્યું છે. હજી તો રન વે છોડે માંડ દસ સેકન્ડ થઈ છે, વિમાન હજી માંડ સમુદ્રતલથી ૬૧૪ ફૂટની ઊંચાઈએ પહોંચ્યું છે; અમદાવાદ ૧૭૪ ફૂટની ઊંચાઈએ છે તેથી ૪૪૦ ફૂટ ઊંચું ચઢ્યું છે; ત્યાં જાણે વિમાન હવામાં થંભી ગયું હોય તેવું કેમ જણાય છે? અહીં મેઘાણીનગરના સરસ્વતીનગરની ઓરડીના છાપરે પહેલીવાર અમદાવાદ આવેલો ૧૭ વર્ષનો આર્યન અસારી તેના મિત્રોને વિમાન કેવું ઉડે તે બતાવવા તેનો સ્માર્ટફોન લઈ ઉપર ચઢી સાવ નીચે જઈ રહેલાં વિમાનનો વીડિયોને શૂટ કરી રહ્યો છે. નીચે જનાર રાહદારીઓ માટે વિમાનનું ઉડવું નવાઈ નથી પરંતુ સાવ નીચું જણાતું વિમાન જોઈ તેમની નજરો પણ ઉપર ઉઠી રહી હતી. વિમાનની અંદર હજી યાત્રિકોમાં કંઈક શંકા કુશંકા જન્મે ત્યાં તો ૨૫મી સેકન્ડે અંદર લીલી-સફેદ લાઈટો ઝળહળી ઉઠી, મોટા અવાજે જાણે કંઈક ખોલ્યું હોય તેવો અવાજ થયો, વિમાનમાં કંઈક થરથરાટ થવા લાગ્યો, ૩૫ સેકન્ડે તો કેપ્ટનનો અવાજ ઉઠ્યો મેડે મેડે મેડે, જોર-ધક્કો (થ્રષ્ટ) નથી, શક્તિ (પાવર) ઓછી થઈ રહી છે, વિમાન ઉડી શકતું નથી, હવે નહીં બચીએ. ૪૫મી સેકન્ડે તો વિમાન ધડામ દઈને મેડીકલ સ્ટુડન્ટની હોસ્ટેલ બિલ્ડિંગના ધાબે જઈ ટકરાયું અને મોટી આગ સાથે તૂટી પડ્યું. જાણે કોઈક બોંબ પડ્યો હોય તેવો અવાજ થયો, ભૂકંપ આવ્યો હોય તેવી ધ્રૂજારી થઈ અને બધુંજ આગ અને ધુમાડાના ગોટામાં ફેરવાઈ ગયું. લાયબંબા આવી આગને ઓલવે તે પહેલાં ૨૪૧ હસતી ખેલતી તંદુરસ્ત જિંદગી પળમાં ભસ્મીભૂત થઈ ગઈ. એક ઈસમ ૧૧-એ ઈમરજન્સી દરવાજાની બાજુમાં બેઠો હતો. તેના પર કુદરત મહેરબાન થઈ. જેવું વિમાન ભટકાઈને ભાંગ્યું તે ઘડીએ તેની સીટ બાજુનો ઈમરજન્સી દરવાજો ખુલ્યો અને તે સીટ સમેત બહાર બે બિલ્ડીંગમાં વચમાં પડેલા રેતના ઢગલા પર જઈ પડ્યો. તેને જેવું ભાન થયું એટલે તેણે સીટબેલ્ટની બકલ ખોલી સામે નજર કરી તો બહાર નીકળવાનો રસ્તો તેની સામે હતો. જ્યાં પાછળ ૨૪૧ જિંદગી ભડકે બળી રહી હતી ત્યારે વિશ્વાસકુમાર રમેશ હાથમાં મોબાઇલ લઈ હોસ્ટેલના દરવાજાથી બહાર આવી ગયો. જેને રામ રાખે તેને કોણ ચાખે? પરંતુ બીજી બાજુ કેમ્પસના નાકે ચા વેચનાર પંદર વર્ષના યુવાનનું અને તેની ચા પીનારા બીજાઓના પ્રાણ પંખેરાં વિમાનની પાંખ પડતાં જ ઉડી ગયા. તે યુવાનની માએ દોટ મૂકી એટલે બચી ગઈ. પરંતુ હોસ્ટેલ બિલ્ડિંગમાં જમી રહેલ ચારેક મેડિકલ છાત્રો અને તેમને મળવા આવેલાં છએક સગાવહાલા માર્યા ગયા. જે કુટુંબ મેડિકલ છાત્રોને રસોઇ બનાવી જમાડતું હતું તેમના માજી અને તેમની નાની પૌત્રી પણ આ અગન જ્વાળાઓમાં હોમાઈ ગઈ. બીજાં ત્યાંથી પસાર થતાં કોઈ સ્કૂટર ચાલક કે રાહદારી પણ હોમાયા. પૂરા ડીએનએ મળશે ત્યારે સાચો આંકડો ખબર પડશે પરંતુ ૨૬૦ મૃત્યુ તો નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જેમની સાથે મેં ચાર વર્ષ નજીક રહીને કામ કર્યું તે પણ ન બચ્યાં. તેઓ તો કોઈ રાજ્યના ગવર્નર થવાની નજીકમાં હતાં અથવા કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ સમાયા હોત પરંતુ મોત તેમને આંબી ગયું. કેપ્ટન સુમિત સબરવાલે મૃત્યુ સામે હતું છતાં પૂરી સભાનતા રાખી અને બનતું બધું કરી જોયું અને તે અંતિમ ૧૦ સેકન્ડમાં વિમાનને એવી દિશા તરફ વાળ્યું કે જ્યાં ઓછામાં ઓછી જાન હાનિ થાય. અન્યથા મેઘાણીનગરની કોઈ ચાલી કે સોસાયટી નીચે આવી ગઈ હોત તો મૃત્યુ આંક ઘણો મોટો થાત.
રન વે પર વિમાને દોટ મૂકી અને ૪૫ સેકન્ડમાં બધું જ ખત્મ. એક પળ એક મિનિટની થાય. અહીં તો મિનિટ (પળ) પણ ન મળી.
જીવન અકસ્માત હોઈ શકે મૃત્યુ નિશ્ચિત છે. જે જન્મ્યું તેણે જવાનું છે. તેથી નાહકની દોડભાગમાંથી બહાર નીકળી કંઈક માણસાઈ સાથે જીવાય તેવા પ્રયત્નો કરીએ. વિજયભાઈની અંતિમયાત્રા રાજકોટમાં નીકળી ત્યારે વરસાદ ચાલુ હતો પરંતુ ૨૦ લાખ વસ્તીનું આખું શહેર રોડ પર આવીને તેમના વ્હાલા નેતાને વિદાય આપી રહ્યું હતું. રાજકોટથી ગુજરાતને ત્રણ મુખ્યમંત્રી મળ્યા પરંતુ વિજયભાઈએ પૂરા પાંચ વર્ષ રાજ્યની સેવાની સાથે તેમના રાજકોટની વિશેષ કાળજી લઈ અભૂતપૂર્વ લોકચાહના મેળવી. તેમનું ભૌતિક શરીર તો પંચતત્વોમાં વિલીન થયું અને સૂક્ષ્મ શરીર અરિહંત શરણે ગયું પરંતુ તેમને મળેલી કીર્તિ અને લોકચાહના તેમણે જીવનમાં કેળવેલા સાત્વિકતા, સજ્જનતા, દયા, કરૂણા અને બીજાને મદદ કરવાની ભાવના જેવા ઉત્તમ ગુણો મૃત્યુ પછી શું આપી જાય છે તેનું દૃષ્ટાંત બની રહ્યાં.
આ વર્ષ આકરું બની રહ્યું છે. યુક્રેન-રશિયાની લડાઈ ચાલુ હતી હતી; ઈઝરાયલ પેલેસ્ટાઇન જંગ થંભ્યો નથી; ભારત-પાકિસ્તાન થતાં થતાં રહી ગયું; ત્યાં ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ ચાલુ થઈ ગયું. ઓછામાં પૂરું અમેરિકાએ ‘ઓપરેશન મીડનાઈટ હેમર’ ના નામે તેમાં દાખલ થઈ તેના બી-૨ સ્ટીલ્થ બોંબર બંકર બ્રસ્ટર લઈ ઈરાનની અણુબોંબ બનાવવાની જગ્યાઓ ઉપર ચડાઈ કરી તેના ભૂક્કા બોલાવી દીધા. પરંતુ ઈરાન અણુબોંબ બનાવવા વપરાતું યુરેનિયમ ક્યાં સંતાડી આવ્યું તેની ખબર નથી. તેનો અણુબોંબ ઈઝરાયેલ પર પડશે કે અમેરિકા પર તેની ખબર નહીં પરંતુ રશિયા વ્હારે ન આવે તો તેનો ઘડો લાડવો થઈ જવાનો એ તો નક્કી જણાય છે. જો રશિયા આગળ થયું તો ત્રીજું વિશ્વયુદ્ધ થવાનું. વખત (કાલ) જાણે બોંબર વિમાનો, હથિયારો, બોંબગોળાઓ, રાડાર, જામર, સુરક્ષા ડોમ વગેરે સંસાધનોના પ્રદર્શન અને વેચવાનો અને માનવતાને મારવાનો જણાય છે. નેતાઓના અહંકારમાં અને હથિયારો બોંબ અને બોંબરો બનાવનારી કંપનીના સોના સોનામાં હજારો નિર્દોષ માણસો અને માનવતા મરી જશે. રાજને મેળવવા રાજા હોમાઈ જશે.
મનુષ્ય કેટલો મોટો થાય, કેવડોક અહંકાર કરે પરંતુ કુદરત સામે તે એક તણખલું માત્ર છે. આ જીવન ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. તેનો આદર કરીએ અને પરમાર્થમાં વાપરવામાં જ શાણપણ છે. નાના નાના ઝઘડા કરીને, અબોલા લઈને કે એકબીજાને પાડી દઈને શું સાથે લઈ જઈશું? શોક ન કરીએ. ભગવાનના આભારી થઈ જીવનને સકારાત્મક રીતે જીવી લઈએ. કાલ કોણે જોઈ છે?
ડો. પૂનમચંદ પરમાર
૨૪ જૂન ૨૦૨૫
તા.ક. ઈઝરાયલ-ઈરાન યુદ્ધવિરામની ઘોષણા થયાના સારા સમાચાર આવ્યા છે.
Thursday, June 12, 2025
પરમ આદરણીય શ્રી વિજયભાઈને શ્રધ્ધાંજલિ
૨ ઓગસ્ટ ૧૯૫૬ ના રોજ તેમનો જન્મ રંગૂનમાં થયો હતો. બર્મામાં રાજકીય અસ્થિરતા થતાં તેમનું પરિવાર ૧૯૬૦માં ગુજરાત પાછું ફર્યું. તેમણે અભ્યાસની સાથે રાજકોટમાંથી જાહેર જીવનનો આરંભ કર્યો. ૧૯૭૫માં દેશમાં કટોકટી લાદવામાં આવી ત્યારે ૧૯૭૬માં ૧૮ વર્ષના એક યુવાનને પોલીસ મીસામાં પકડી જાય તે જ તેમની રાજકીય અગ્રતા દર્શાવે છે. તેમનો ૧૧ મહિનાનો ભૂજ-ભાવનગરનો જેલવાસ તેમને રાજકીય મિત્રો બનાવવામાં અને જાહેર જીવનમાં વિકસવામાં ઘણો કામ આવ્યો. તેમના પાર્ટી સંગઠનના સાથી કાર્યકર અંજલીબેન જીવનસાથી મળ્યા. રાજકોટ કર્મભૂમિ રહી, ગાંધીનગરમાં રાજ્યાધિકાર મળ્યો અને છેલ્લે અમદાવાદથી આજે વિદાય લીધી. એક સરળ સાલસ સજ્જન પુરુષને આજે ગુજરાતે ખોઈ દીધાં. ૬૮ વર્ષ અને ૧૦ મહિનાની એમની જીવન યાત્રા અને જાહેર જીવન નમૂના રૂપ રહ્યા.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે શરૂ કરી મહાપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને પછી મેયર તરીકે શરૂ કરેલી તેમની રાજકીય સફર છેક ટોચે મુખ્યમંત્રી બની પૂરી થઈ હતી. ગુજરાતના એ ત્રીજા મુખ્યમંત્રી જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. શ્રી વજુભાઈ વાળા ૨૦૧૪માં કર્ણાટકના ગવર્નર બનતાં વિજયભાઈનો રાજકીય સૂર્ય ઝળહળી ઉઠ્યો હતો. પેટા ચૂંટણીમાં ૨૦૧૪માં પ્રથમ વાર વિધાનસભ્ય બનતાં જ મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલે તેમને વાહનવ્યવહાર, રોજગાર, મજૂર, પાણી પુરવઠા ખાતાના મંત્રી બનાવી દીધાં હતાં. એક રાત્રે તેઓ સરકારી બંગલામાં યુરીન માટે ઉઠ્યા અને બાથરૂમની પાળી પર પડી જતાં તેમને માથામાં પાછળના ભાગે વાગ્યું હતું, લોહીલુહાણ હાલતમાં તેઓ સીવીલ અમદાવાદ જઈ અને પાટીપિંડી કરાવી આવ્યા અને માથા પર બાંધેલા પાટા સાથે બીજા દિવસે બુધવારની કેબીનેટ મીટિંગમાં હાજર થઈ તેમણે સાચા કર્મયોગી હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કુદરતને તેમની પાસે કામ લેવું હશે. તેઓ ફેબ્રુઆરી ૨૦૧૬માં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યાં. શ્રીમતી આનંદીબેન પંચોતેર વર્ષ નજીક પહોચતાં ઓગસ્ટ ૨૦૧૬માં તેમની જગ્યાએ શ્રી નીતિનભાઈ પટેલનું નામ નક્કી જેવું સંભળાતું હતું પરંતુ બીજા દિવસની બપોર બદલાઈ ગઈ અને સાંજની બેઠકમાં વિજયભાઈનો વિજય રથ આગળ નીકળી ગયો અને ગુજરાતને એક ન્યાય પ્રિય, ગરીબોના હમદર્દી મુખ્યમંત્રીની ભેટ મળી ગઈ. શ્રી વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા અને શ્રી નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી. વડીલ તરીકે સંકલન પાર પાડવાનું કામ તેમના ભાગે આવ્યું. સંગઠનના માણસ તેથી માથે બરફની પાટ અને જીભ પર સંયમ રાખી તેમણે સંકલન સાધ્યું અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી કટોકટની બની ત્યારે બીજેપીને જીતાડી બીજીવાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બની પાંચ વર્ષ પૂરાં કર્યા હતાં.
જ્યારે એક જ સપાટે ધારાસભ્ય, મંત્રી, પક્ષ પ્રમુખ અને મુખ્યમંત્રી બન્યા ત્યારે વજુભાઈ હસતાં હસતાં કહેતાં આમણે કેવા દેવ પૂજ્યા છે? અમારે તો આગળ વધવા આખું આયખું નીકળી ગયું અને આમને કોઈ અટકાવ વિના નસીબની દેવી હાર પહેરાવી રહી છે. રાજકોટમાંથી ગુજરાતને ત્રણ મુખ્યમંત્રીઓ મળ્યા; શ્રી કેશુભાઈ પટેલ, શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી વિજયભાઈ રૂપાણી. શ્રી વિજયભાઈએ રાજકોટને વિકાસની હરણફાળ આપી. રાજકોટ શહેરનું વિસ્તરણ થયું, આધુનિક સુવિધાઓથી સજ્જ થયું, નવું એરપોર્ટ આવ્યું, એઈમ્સ આવી અને અમદાવાદથી રાજકોટને જોડતો છ લેન રાજમાર્ગ અપાવ્યો. તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારથી પાણી સંગ્રહવા અને નર્મદા જળના મહત્તમ ઉપયોગના આગ્રહી રહ્યા જેને કારણે ગુજરાતનો કૃષિ વિકાસ તેની ગતિ જાળવી રહ્યો. પીવાના પાણીની કોઈ તકલીફ પડી નહીં. બનાસમાં પૂર આવ્યું તો બનાસકાંઠા જિલ્લામાં પખવાડિયું કેમ્પ કરી તેમણે કેશડોલ્સ ચૂકવણીથી માંડી રાહતની વ્યવસ્થા કરી દીધી હતી. તેમના પાંચ વર્ષના શાસનમાં ગુજરાત સુખી, સમૃદ્ધ અને વિકસિત બન્યું.
તેઓ કેબિનેટ મીટિંગ લેતાં હોય કે બીજી વિભાગીય બેઠકો, અધિકારીઓને તેમની વાત પૂરી કરવાનો મોકો આપતાં અને તેમનાં સાચા સૂચનો સ્વીકારતાં. મીટિંગમાં તેઓ કોઈ વાતે તેમનો વાંધો વિચાર હોય તો સહજ રીતે મોઢે લાવી દેતાં. નોટબંધી થઈ ત્યારે રોકડા નાણાંની વહેંચણીમાં શરૂઆતમાં ભારત સરકાર પહોંચી ન વળતાં તેઓ કહેતાં અટક્યાં નહતા કે સાહેબને સલાહ આપનારાઓએ નવી નોટો છાપવાની પૂરી તૈયારી કરી નોટબંધી કરાવવી જોઈતી હતી. તેઓ મુખ્યમંત્રી તરીકે ઓગસ્ટ ૨૦૧૬માં આવ્યા ત્યારે હું પણ નવોસવો શહેરી વિકાસ વિભાગનો અધિક મુખ્ય સચિવ હતો. અમે પડતર ટીપી મંજૂરીઓમાં ઝડપ લાવી, શહેરો માટે કોમન જીડીસીઆર, રેરાની સ્થાપના, સ્માર્ટ સીટી, સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં પ્રથમ સ્થાન લાવવા જેવાં મહત્વના કામો કરી શક્યાં. શહેરી વિકાસ પછી આરોગ્ય વિભાગમાં પણ ઈનિંગ તેજસ્વી રહી. અમે નવી મેડિકલ કોલેજો ખોલી મેડીકલ એજ્યુકેશનની સીટો વધારી શક્યા, અમદાવાદ સિવિલમાં મેડીસીટીનું સપનું સાકાર કરી શક્યા. યુએન મહેતાની નવી હોસ્પિટલ બનાવી. ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સેવાઓ પૂરી કરી જીવ પૂર્યો. ડેન્ટલ અને આઈ હોસ્પિટલો પૂરી થઈ. કેન્સર હોસ્પિટલના બે બ્લોક પૂરા કરાવ્યા. કીડની હોસ્પિટલ પૂર્ણતા નજીક પહોંચાડી. રાજકોટમાં પ્રધાનમંત્રી યોજનાની હોસ્પિટલ ઉપરાંત એઈમ્સ મંજૂર કરાવી. હોસ્પિટલોના અને કોલેજોનાં નવા બિલ્ડીંગો અને સેવાકીય સાધનો અપગ્રેડ કરી આરોગ્ય સેવાઓની બાબતે ઊંચી બજારશાખ ઊભી કરી શક્યાં. આરોગ્યમાં એક ઘરેલું વિધ્ન આડું આવ્યું અને મારે સેવાના છેલ્લા દશ મહિના કૃષિ વિભાગમાં કરવાં પડ્યાં. જો કે જ્યાં જરૂર હોય ત્યાં કુદરત લઈ જાય. વિઘ્નકર્તા કરતાં વિઘ્નહર્તા વધુ મદદ કરે. ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય સાથે કામ કરી પ્રાકૃતિક કૃષિના અભિયાનનો પાયો નાંખવામાં અને ખેડૂત કલ્યાણનાં સાત પગલાં ઉઠાવવામાં આ તક ઉત્તમ બની રહી.
૨૦૨૦ના બજેટ તૈયાર કરવાની અધિકારીઓની બેઠકોમાં સામાજિક સેક્ટરની યોજનાઓનોની ચર્ચામાં મેં વિશેષ ભાગ લીધો જેને કારણે કેટલીક લાંબા સમયથી સફળ રહેલી સ્કીમ બચી ઉપરાંત નવી યોજનાઓ આપી શક્યાં. બજેટની હેડલાઇન્સ જ્યારે છાપીમાં આવી ત્યારે વિજયભાઈ મને કહે પરમાર છાપામાં આજે તમે જ દેખાવ છો. કૃષિ વિભાગમાં ભારત સરકારની કિસાન ફસલ વીમા યોજનામાં રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં પ્રીમીયમ ભર્યે રાખ્યું અને વીમા કંપનીઓ ટેકનીકલ વાંધા કાઢી ગુજરાતના ખેડૂતોને પૂરતું વળતર આપતી ન હતી. ખોટનો સોદો હતો. અમે અસરદાર પ્રેઝન્ટેશન બનાવ્યું, વિકલ્પો રજૂ કરી રાજ્ય સરકારને ભારત સરકારની યોજનામાંથી બહાર કાઢી રાજ્યની પોતાની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના દાખલ કરી દીધી. આ યોજનાથી દર વર્ષે હજારો ખેડૂત સહાયના લાભાર્થી બન્યાં અને તેમને ચૂકવણી કર્યા બાદ પણ પ્રીમિયમની સંભવિત રકમ સામે રાજ્યને બચત પણ થઈ. બીએસસી કૃષિમાં સરકારી કોલેજોની મોનોપોલીને કારણે ૬૦% ગ્રામ્ય વસ્તીના રાજ્યમાં કૃષિ સ્નાતકોની સંખ્યા માંગ કરતાં ઓછી હોવાથી કૃષિ સ્નાતકોની સંખ્યા વધારવા ખાનગી કોલેજોની ભાગીદારી વધારવાના તેમના સૂચન મુજબ અમે આગળ વધી શક્યા.
તેમનો પહેલો પરિચય તો અમને ૧૯૯૮માં જ્યારે શ્રી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતાં ત્યારે તેઓ ઢંઢેરા સમિતિના અને કદાય ૨૦ મુદ્દા સમિતિના અધ્યક્ષ બન્યાં ત્યારે યોજનાની સમીક્ષા કરવાં તેઓ અધિકારીઓને જાતે ફોન કરતાં અને લક્ષ્યાંકો સિદ્ધ કરવાં પ્રોત્સાહિત કરતાં તે વખતથી હતો. તેઓ રાજ્ય સરકારના મંત્રી અને મુખ્યમંત્રી બન્યા તે પહેલાં છ વર્ષ રાજ્યસભાના સભ્ય હતાં. ગુજરાત પ્રવાસન નિગમના અધ્યક્ષ અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન બની તે જવાબદારી પણ તેઓએ સરસ રીતે નિભાવી હતી. એક વખત હતો જ્યારે જે. એન. સિંહની મુખ્ય સચિવની મુદત પૂરી થવામાં હતી ત્યારે ક્રમ મુજબ શ્રી અરવિંદ અગ્રવાલનો નંબર હતો. મારા બેચમેટ શ્રી અનિલ મુકીમ તે વખતે દિલ્હીમાં સચિવ હતાં. તેથી ભૂતકાળમાં શ્રી પી. કે. લહેરી, શ્રી જગદીશ પાંડિયન, શ્રી જી. આર. અલોરિયા, શ્રી જે. એન. સિંહને તેમના સીનીયર હોવા છતાં મુખ્ય સચિવ બનવાની તક મળી હતી તેમ જો શ્રી અરવિંદ અગ્રવાલ ન પસંદ થાય અને શ્રી અનિલ મુકીમ દિલ્હીથી ન આવે તો મારી તક ખુલતી હતી. અરવિંદ અગ્રવાલને તો તેમણે કહ્યું હતું કે સીનીયોરીટીનો ક્રમ તોડી આગળ વધવામાં તેમને રસ નથી પરંતુ નક્કી તો દિલ્હીમાં થશે. મેં પણ એક વખત મારા વિશે પૂછી લીધું તો એટલી સરળતાથી જણાવ્યું, પરમાર તમે તો જાણો છો, દિલ્હી જઈ શ્રી પી. કે. મિશ્રાજીને મળી આવો. આનંદીબહેન જેવી ભૂલ મારે નથી કરવી. નિખાલસતાથી અને કોઈ પણ પ્રકારના કપટ વિના વાત કરતાં આવા મુખ્યમંત્રી અમે ક્યારેય જોયાં નથી.
૨૦૧૦ના માર્ચમાં કોવીડનું લોકડાઉન આવતાં કોવીડના ગંભીર દર્દીઓની લાઈન ઓફ ટ્રીટમેન્ટની મોનીટરીંગની ગંભીર જવાબદારી ઉપાડવાનું કામ મારા ભાગે આવ્યું. તંત્ર ત્યારે લોકડાઉન, હોસ્પિટલ વ્યવસ્થા અને પોઝિટિવ પરંતુ વિપરીત અસર ન થઈ હોય તેવા દર્દીઓને એડમીટ કરી તેની હોસ્પિટાલિટીના ભારમાં વ્યસ્ત થઈ રહ્યું હતું ત્યારે કોવીડ કેસોનું વીડીયો બેઠકથી દૈનિક મોનીટરીંગ અને ડેથ ઓડીટ કરાવી લાઈન ઓફ ટ્રીટમેન્ટમાં નક્કી કરવા અમને સફળતા મળી હતી. ૩૫ વર્ષની ભારતીય વહીવટી સેવાની નોકરીમાંથી કોવીડના વર્ષે ૩૧ જુલાઈ ૨૦૨૦ નારોજ હું નિવૃત્ત થયો ત્યારે વિજયભાઈનું અંતરમન મને નિવૃત્તિ પછી સેવામાં રોકવા તત્પર હતું પરંતુ કોઈ અજ્ઞાત રોકને કારણે તેમ ન કરી શકવાથી તેમની નિરાશા તેમના ચહેરા પર મેં વાંચી હતી. તેમણે મને નિવૃત્તિ પહેલાં પાંચેક વાર કહ્યુ હતું કે પરમાર તમારી સેવા લેવાનું નક્કી જ છે પરંતું તેઓ પાછા પડ્યાં. ત્રણેક મહિના પછી તેમણે મને ત્રણ વર્ષ માટે ગુજરાત પોલીસ કમ્પલેઈન ઓથોરિટીનો મેમ્બર બનાવ્યો હતો. પરંતુ તેમને એ ખબર ન હતી કે તેમાં મારે વર્ષે એકાદ વખત મળતી બેઠકમાં ₹૧૫૦૦ના મહેનતાણાંથી હાજર રહેવા માત્રનું કામ હતું. મને થયું મુખ્યમંત્રીનું વચન છે, આજે નહીં તો કાલે પૂરું કરશે. પરંતુ તેમ વાટ જોવામાં રહ્યા અને તેમની બદલીની તારીખ આવી ગઈ. આમ તેમનો અને મારો સાથે કામ કરવાનો તબક્કો પૂરો થયો. પરંતુ જેટલું સાથે રહ્યાં ચિરસ્મરણીય રહ્યું. કર્મયોગી તરીકે કામ કર્યું. તેમનાં દીકરા ઋષભના લગ્નમાં તેમણે યાદ કરી અમને કંકોત્રી મોકલાવી અને અમે ગયાં તો હરખથી આવકારી ફોટા પડાવ્યા હતાં. તેઓ મુખ્યમંત્રી હતાં ત્યારે તેમના દીકરા ઋષભને તેમણે અમેરિકા ભણવા મોકલી દીધો અને તે પણ અન્ય વિદ્યાર્થીઓના જેવા સામાન્ય જીવનશૈલીમાં રહી ભણ્યો. શ્રી વિજયભાઈ સાથે આત્મીયતા એટલી કે તેમને કંઈ કહેવું હોય, સૂચન કરવું હોય તો હું બેધડક SMS કરી શકતો. તેઓ અચૂક જવાબ આપતાં. રાજ્યના હિતમાં મહત્વપૂર્ણ સૂચન કરવાની કે મહત્વની વાત ધ્યાને લાવવા આ માધ્યમ ઝડપી રહેતું. તેઓ હંમેશાં પ્રેમથી બોલાવતાં અને શાંતિથી વાત કરતાં. કોઈ દંભ નહીં, કોઈ અભિનય નહીં. નિવૃત્તિ પછી મેં પીએચડીનો અભ્યાસ પૂરો કર્યો તો હરખીને અભિનંદન આપેલાં. કોઈ અમારે બંનેના કોમન મિત્ર તેમને મંળતાં તો મારા વિશે ઉત્તમ અભિપ્રાય વ્યક્ત કરતાં. ક્યાંક કોઈનું ખોદીને કે નિંદા કરી તે તેમનું અંતઃકરણ ન બગાડતાં. મુખ્યમંત્રી બન્યાં પરંતુ હોદ્દાનું અભિમાન તેમના પર ક્યારેય ન ચડ્યુ. કેટલાક નેતા એવા પણ હોય છે કે તેમને ન ગમતો માણસ આવે તો તેની સામું પણ ન જુએ. પરંતુ વિજયભાઈ સજ્જન તેથી કોઈ પણ માનવી આવે તેમની માનવતા તેમનાં ચહેરા પર છલકી ઉઠે.
પછાત વર્ગ અને ખાસ કરીને અનુસૂચિત જાતિ પ્રત્યે તેમને વિશેષ લાગણી રહેતી. તેમની એક બિન સરકારી સંસ્થા રાજકોટમાં પછાત વર્ગોના કલ્યાણ માટે વર્ષોથી કાર્યરત છે. કેટલાક વર્ષો અગાઉ તેમનો એક પુત્ર પૂજીત ઉત્તરાયણના દિવસે અમદાવાદ તેમના સાસરીના ઘરનાં ધાબા પરથી પડી જતાં ગુજરી ગયેલ, તેના નામ પરથી આ સંસ્થા પૂજીત મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ વંચિતોના વિકાસ માટે અવ્વલ કામ કરતી. તેમને ૨૦૧૬માં બાથરૂમમાં પડી જવાથી માથામાં વાગ્યું ત્યારે સિવિલ હોસ્પિટલ અમદાવાદ જઈ સારવાર લઈ મુખ્યમંત્રી બન્યાં હતાં. તેમના મોટા પુત્રએ અમદાવાદથી અકસ્માતે વિદાય લીધી હતી. આજે વિમાન દુર્ઘટનાએ તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદથી જ ઉપર બોલાવી લીધા. જિન શાસનની સિદ્ધશિલા પર તેમને માટે પરમાત્માને કોઈ કામ શોધી રાખ્યું હશે. ગુજરાતની ભૂમિ પરથી એક નર રત્નની આમ કવેળાની વિદાયથી ગુજરાતની ૭ કરોડ પ્રજા સાથે આજે અમારું પરિવાર પણ દુઃખની લાગણી અનુભવી રહ્યું છે. અમારી અંતરની પ્રાર્થના છે કે પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચિરઃ શાંતિ અને સદ્ગતિ અર્પે. વ્હાલા વિજયભાઈ, તમે અમને હંમેશાં યાદ આવશો. ઓમ નમો અરિહંતાણં. 🙏
લિ.
ડો. પૂનમચંદ પરમાર (IAS:1985)
પૂર્વ અધિક મુખ્ય સચિવ (ગુજરાત સરકાર)
૧૨ જૂન ૨૦૨૫
Monday, May 26, 2025
मौर्यकालीन भारत।
भारत का इतिहास पुराणों और महाकाव्यों में बंद है लेकिन मेगस्थनीज़ की इंडिका (ईसा पूर्व तीसरी शताब्दी), और एरियन की इंडिका (दूसरी शताब्दी ईस्वी) और सम्राट अशोक के शिलालेख (ईसा पूर्व तीसरी शताब्दी) उसके गवाह है। मनु का वर्णाश्रम समाज कब आगे बढ़ा कहना मुश्किल है लेकिन मेगस्थनीज़ ने जो देखा था और एरियनने जो सुना था वह समाज सात समूहों में कार्य विभाजन कर चल रहा था। सात समूहों में छोटी संख्या में सही लेकिन विशेष वर्ग के रूप में ब्राह्मण और श्रमण थे।दूसरा नम्र वर्ग था कृषकों का जिन्हें सैन्य सेवा से मुक्ति थी। तीसरा वर्ग था पशुपालकों और शिकारीओं का जो घूमता रहता था। जो गोधन पालते थे और जंगली जानवरों से खेतों की रक्षा कर बदले में अनाज प्राप्त करते थे। चौथा वर्ग कारीगरों का था जो व्यापार और शारीरिक श्रम के कामों में जुड़े थे। उनमें हथियार बनानेवाले और जहाज़ बनानेवाले थे। पाँचवाँ वर्ग सैनिकों का था जो युद्ध होता तो लड़ते बाक़ी पीते और पड़े रहते। राजा के खर्चे से उनका निभाव होता इसलिए बुलाया आता तो अपना शरीर लेकर चले जाते। हथियार, घोड़ा इत्यादि राजा देता। छठा वर्ग ओवरसियरों का था जो समग्र व्यवस्था पर देखरेख रखते थे और राजा को रिपोर्ट करते थे। कुछ निरीक्षण कार्यों में लगे थे। सातवाँ वर्ग राजा के सलाहकार और आंकलन (कर) करनेवालों का था। उनमें से सरकार के उच्च पदों पर बैठे अधिकारी, न्यायाधीश इत्यादि होते थे। वे बाज़ार, शहर, सैनिकों पर निगरानी रखते थे। कोई नदी के पानी के उपयोग का नियंत्रक तो कोई ज़मीन को नापनेवाले थे। वे कर वसूली करते थे। वे रास्ते बनवाते और हर २००० गज (एक कोस) पर अंतर का नाप का पिलर खड़ा करते थे। शहर व्यवस्था छह संस्थाओं के अधिकारी करते जो उद्योग, विदेशियों का आतिथ्य, जन्म-मृत्यु पर पूछताछ, व्यापार, वाणिज्य और तौलनाप, उत्पादों की देखरेख, १०% करवसूली करते थे। करचोरी की सज़ा मृत्युदंड था। शहरी तंत्र सार्वजनिक स्थानों, बिल्डिंग, बाज़ार, बंदरगाह, मंदिरों का मरम्मत इत्यादि करता। मिलिटरी के छह डिविज़न रहते जो सुरक्षा, सैनिकों, सैन्य परिवहन, राशन, घोड़े, हाथियों, रथों, हथियारों के व्यवस्था संचालन को देखते।
शिकारी और जंगली हाथी को पालतू बनानेवाला अर्धजंगली समाज का सामाजिक स्थान नीचे रहा होगा। अपने जाति समूह के बाहर शादी करना और व्यवसाय परिवर्तन करने का प्रतिबंध था। एक से ज्यादा व्यवसाय करने पर पाबंदी थी। सिर्फ़ दार्शनिकों (ब्राह्मणों) को इन प्रतिबंध और पाबंदियों से मुक्ति थी। कारीगर वर्ग का महत्त्व था। बुरे कर्म की सजा सर गंजा कर मिलती थी लेकिन कारीगर के हाथ अथवा आंख को नुक़सान करनेवाले को मृत्युदंड मिलता था। पुत्र बचपन से स्वाभाविक ही अपने पिता के व्यवसाय को सीखेगा इसलिए जन्म से ही कार्य विभाजन से जाति/समाज विभाजन बना हुआ था, जिसमें से ब्राह्मणों के अलावा और किसी को अपना पेशा बदलने की छूट नहीं थी।
पूरे भारत के अलग-अलग शहरों क़स्बों में कोई न कोई विशेष जनजाति का अधिपत्य था। ऐसा लग रहा था कि कहीं कहीं स्थानीय और कहीं कहीं बाहर से आकर आधिपत्य जमानेवाली कौमो नें अपनी अपनी जगह बना ली थी। एक तरफ राजा और उसके क्षेत्र में रहनेवाले कार्य विभाजन से सात समूहों में काम करनेवाले बस्ती समूह थे और दूसरी तरफ विचित्र शारीरिक और मानसिक लक्षणोंवाले मनुष्य समूह थे जो जंगलों और पहाड़ों में रहते थे। हिमालय की अंदरूनी गुफा-झोपड़ियों में पिग्मी रहते थे जो २७ इंच ऊँचाई के थे। वे वसंत ऋतु में तीर कमान लेकर बकरियों और भेड़ों की पीठ पर चढ़कर आके थे और क्रेन के अंडों को फोड़ देते और उनके चूजों को मार देते थे। क्रेन विशालकाय पक्षी होते थे और उनसे पिग्मीओं की जान को खतरा बना रहता था।हर साल तीन महिने इनको यह अभियान चलाना पड़ता था। उनकी झोपड़ियां अंडों के छिलके और क्रेन के पंखों से बनी होती थी। ज़्यादातर लोगों का आयु काल चालीस वर्ष था। लेकिन पंडोरे नाम की एक पहाड़ी प्रजाति २०० साल जीतीं थी। उनके जन्म के सफेद बाल बुढ़ापे में काले हो जाते थे। मंडी नाम की जाति की महिला सात साल की आयु से बच्चे पैदा करती थी और चालीस वे साल बूढ़ी हो जाती थी। कुछ प्रजाति का मुँह कुत्ते जैसा था और वे भोंककर बातें करते थे। कोई प्रजाति को पैर की एड़ी आगे और अँगूठे पीछे आठ अंगुलियोंवाले होते थे। कोई प्रजाति के नाक नहीं थे सिर्फ़ साँस लेने दो छेद रहते थे। कोई प्रजाति भोजन नहीं करती थी सिर्फ़ फल सूँघकर जी लेती थी। लगता है आखरी तीन प्रजातियों के बारे में उसने किसी पौराणिक कथा से सुना होगा। हिमालय के पर्वतों में पूर्वी पहाड़ी मैदान के ३००० स्टेडीया क्षेत्र में देरदाइ नामकी एक प्रजाति रहती थी जो लोमड़ी की साईज़ की चींटियों ने खोदी बिल की मिट्टी से सोना निकाला करती थी।
सात जाति समूहों में दार्शनिकों का स्थान और जीवन विशिष्ट था। वे मुख्यतःब्राह्मण और श्रमण वर्ग में विभाजित थे। इंडिका के उपरांत अशोक शिलालेख भी इन दो समाज के आदर की बात करते हैं।
ब्राह्मणों में बच्चे का गर्भाधान होते ही माता को सूचना शिक्षा देकर संस्कारित कर बच्चे के विकास के प्रति जागरूकता थी।जो माता सुनती वह नसीबवाली बनती। बच्चे के जन्म के बाद शिक्षा और ब्राह्मण कर्म की कुशलता प्राप्त करने विद्वानों से शिक्षा ग्रहण करने शहर के बाहर गुरुकुल जैसा संकुल होता था। वहाँ शाकाहार था और शिक्षक ब्रह्मचारी थे जो घास अथवा हिरन के चमड़े पर सोते थे और बोलकर शिक्षा देते थे। बिना विक्षेप उनको ध्यान से सुनना विद्यार्थी का दायित्व था। ७+३० साल की शिक्षा के बाद उनका सांसारिक जीवन शुरू होता था। हाथ में अँगूठियाँ, कान में बाली, खाने में मांस और ज्यादा बच्चे पैदा करने एक से ज़्यादा शादियां सांसारिक जीवन की समृद्धियाँ थी। घर में नौकर नहीं होने से बड़े परिवार में बच्चे बहुत काम आते है।
ब्राह्मण अपनी पत्नी से ज्ञानचर्चा नहीं करता था। मृत्यु बोध उन्हें जीवन के प्रति अनुशासित रखता। संसार स्वप्नवत् मानकर वे मृत्यु की तैयारी में रहते। जन्मा है उसका मृत्यु अवश्यम्भावी है। कोई त्यागी जीवन से संतुष्ट हो जाता तो ज़िंदा चिता पर लेट जलकर अपना देह त्याग देता था। वे शाकाहारी थे और भगवान के नाम का जाप करते रहते थे। राजा और यजमान के लिए यज्ञ और बलिदान विधि करते थे। वे भगवान और आत्मा को मानते थे।वे मानते थे कि आत्मा को सर्जनहार ने भेजा है जो अपने शरीर रूपी वस्रों से प्रकट होती है। बुद्धि उसका पहला अंदरूनी वस्त्र है। उसके उपर मन का मानसिक शरीर/वस्त्र है जो बुद्धि को अंगों से जोड़ता है। भौतिक शरीर उसका तीसरा वस्र है जिसके अंगों का उपयोग कर मन बुद्धि जीवन जीतें/भोगते है। जब भौतिक शरीर नष्ट होता है तो आत्मा दूसरे भौतिक शरीर को अथवा अपने उद्गम भगवान को प्राप्त होती है। भगवान को प्रकाशरूप माना है। वैसा प्रकाश नहीं जैसे सूरज का अथवा अग्नि का। शब्द प्रकाश। विद्वान दार्शनिक के मुख से जो ज्ञान शब्दों से प्रवाहित होता है वह भगवान, जो ज्ञान स्वरूप है। वे मानते थे कि मनुष्य जीवन तीन वस्त्रों में बँधा एक युद्ध क़ैदी है। जिसे काम. क्रोध, लोभ, मोह, मद, मत्सर इत्यादि षड्रिपु से युद्ध कर उसे परास्त कर विजय पाना है। उनके जीवन का यही लक्ष्य बना रहता था। नाम जप, यज्ञ और आंतरिक शत्रुओं के प्रति सजाग रहकर उसे जितना और फिर शरीर छूटे तब उसके उद्गम की ओर चल देना। जैसे मछली पानी से बाहर निकलकर सूर्य किरण को देख लेती है वैसे ही शरीर छूटते ही परमात्मा के तेज पूंज को देख उसमें विलीन हो जाना।
जो ब्राह्मण पहाड़ों में रहते वे डीयोनीसोस की पूजा करते। वहाँ के अंगूरों की वाईन (सोमरस) बनती। वे ब्राह्मणों के रिवाज पालते। मस्लीन पहनते, पाघ बाँधते, इत्र छिड़कते, चमकीले रंगीन कपड़े सजाते, और उनके राजा के आगे नगाड़े और घंटे बजते। मैदानों में रहनेवाले ब्राह्मण हेराकल्स की पूजा करते। ब्राह्मण कर्म जन्म से नियत होने से और परमात्मा का ज्ञान उपदेश उनके मुख से होने की वजह से आगे चलकर उन्हें देव कहा जाने लगा होगा और उनके आध्यात्मिक और भौतिक शरीर को एक विशेष दर्जा प्राप्त हुआ होगा। यहां डीयोनीसोस को शक्ति या वीर पूजा और हेराकल्स को विष्णु-कृष्ण-शिव पूजा सुचित कर सकते है।
जो श्रमणिक थे वे बस्ती से दूर रहते थे। कोई नंगे तो कोई पेड़ की छाल के वस्त्र पहनते थे। जिनका ज्यादा आदर था वे hylobioi (सिद्ध) कहलाते। वे जंगलों में रहते और कंदमूल, फल और पानी (हाथ से लेकर) से अपना गुज़ारा करते।जानवरों का मांस और आग में पका खाना उनको वर्जित था। घटना, दुर्घटना के लिए राजा उनसे परामर्श करते और उनके द्वारा दैविक पीड़ा शांत करवाने पूजा करवाते। सिद्धों के बाद चिकित्सकों का समूह था जो मनुष्य की प्रकृति का अध्ययन कर उपचार खोजता। वे भिक्षा माँग कर चावल और जौं से अपना गुज़ारा करते। वे चिकित्सा ज्ञान से गर्भ में बालक की जाति का परिक्षण कर लेते थे। ज़्यादातर उपचार वे भोजन नियंत्रण और परहेज से करते, और उपचार में मरहम और प्लास्टर होते। महिलाएँ श्रमणों से ज्ञान लेती लेकिन व्यभिचार से दूर रहती। श्रमणो का एक समूह बुध के उपदेशों पर चलता था। बुध को वह उनकी शुचिता के कारण भगवान का आदर देते थे।
मेगस्थनीज़ लिखता है कि प्रकृति के बारे में ग्रीक दार्शनिकों ने जो कहा है उसका दावा भारतीय ब्राह्मणों और सीरिया के यहूदियों ने भी किया है। सिकंदर ने जब हिंद पर चढ़ाई की तब उसे ऐसे ही किसी दार्शनिक से मिलने की चाह थी। ६४५१ साल पहले उसके १५४ वें पूर्वज बाकूस (Bacchus) ने सबसे पहले भारत को जिता था। अब उसकी बारी थी। वह यूनानी अरिस्टोटल का शिष्य था। उसे विश्व विजयी तो बनना था साथ में जीवन के रहस्यों से रूबरू होना था। भारत नागा साधुओं के लिए प्रसिद्ध था। उसे किसी एक से मिलने की ख्वाहिश थी। पोरस को जितने के बाद जब वह तक्षशिला की ओर आगे बढ़ा तो मार्ग में नागा साधु समूह के मुखिया नागा दंडामि को मिलने बुलाया। दंडामि ने मिलने से मना कर दिया। संदेशवाहक को बताया कि सिकंदर के पास उसको देने कुछ नहीं है। अगर वह ज़िंदा रहा तो भारत भूमि पर्याप्त हवा, पानी और भोजन देगी; और अगर मारा गया तो बूढ़े हुए शरीर छूटकारा मिलेगा और अच्छे और नये शुद्ध जीवन को प्राप्त करेगा। सिकंदर को भी एक दिन मरना है। वह शरीर को मौत दे सकता है लेकिन वह भगवान नहीं है। भगवान जीवन देता है और जीवन की सुरक्षा के लिए हवा, जल और भोजन। वह कितना भी प्रदेश जीते कुछ भी नहीं। देश इतने बड़े हैं कि कईं लोग उसे जानते भी नहीं। सिकंदर समझ गया, सँभल गया। साधु को उसने नहीं मारा। सोच में पड़ गया और गंगा की ओर आगे बढ़ने के बदले वापस लौट गया। वह जब सो रहा था तब विश्व विजय की दौड़ में था, और जब जागा चल बसा।
डॉ. पूनमचंद
२६ मई २०२५
Thursday, May 15, 2025
પાડાના શિંગડા એક ઓઠું
ઉત્તર ગુજરાતના સમાજનો ૧૯મી અને ૨૦મી સદીનો ઈતિહાસ જોઈએ તો નાનકડી ખેતી અને મજૂરીકામની વચ્ચે જે દિવસો બચે તેમાં તહેવારો, લગ્ન જેના શુભ પ્રસંગો અને વસ્તી, તડ, પરગણાંનાં જમણનાં પ્રસંગો ઉજવાતા. સ્ત્રીઓ તો બધાં પ્રસંગના કામોમાં લાગી જાય પરંતુ પુરુષો નવરાધૂપ એટલે પંચાતીમાં લાગી જાય. બધાંને બીજાની વાત કરવામાં અને સાંભળવામાં ઘણો આનંદ આવે. તેમાંય ઓઠું માંડીને વાત કરાય તો તેમાં રસ વધુ પડે અને જીવનની શીખ મળે.
એક ગામની વાત છે. ગામમાં એક તળાવ. તળાવમાં ઢોર બધાં પાણી પીવા જાય અને પાણિયારીઓ પણ ઘરના પાણી માટે માટલાં અને બેડાં ભરી લાવે. એ ગામમાં હીરા પટેલનો પાડો બહુ જબરો. સતાધારના પાડા જેવો મોટો અને વિશાળકાય. તે કાયમ તળાવના રસ્તે જતાં વચ્ચે સાંકડી કેડી પડે એમાં બેસી જાય. તે મારકણો તેથી તેને હટાવવાનું ગજું કોઈનું નહીં. કોઈક છોકરો પછી દોડીને હીરા પટેલને બોલાવવા જાય અને પટેલ આવે ત્યારે પાડો ખસે. પાડો જ્યાં બેસતો તે ખેતરના સેઢે એક ખેડૂત પશાભાઈનું ખેતર. તેમને ખેતર જતાં આ પાડાનો અટકાવ એટલે હીરો પટેલ આવે ત્યાં સુધી એકાદ કલાક જેવી તેમને વાટ જોવી પડે. આ તો રોજનું થયું. કેમ કરીને રસ્તો કાઢવો? તે પાડાની સામે જોઈ રહે અને ડાબેથી નીકળું કે જમણેથી મારગ વિચારે. પરંતુ પગદંડી તસોતસ અને બંને બાજુ કાંટાળી વાડ એટલે પાડો કૂદીને જવા સિવાય કોઈ રસ્તો ન જડે. જો જરાક આગળ વધે તો પાડો પાડી દે. એમ જોતાં જોતાં તેમની નજર પાડાના વાંકા શિંગડા તરફ પડી. બે શિંગડા સરસ મજાનાં, અર્ધ ચંદ્રાકારે એકબીજાને જોડાયેલાં જેની વચ્ચે એક માણસ પસાર થાય તેટલું બાકોરું દેખાય. પશાભાઈ રોજ પાડાને જુએ અને શિંગડાનું બાકોરું જુએ અને પોતાના શરીર સામે અમે વિચારે કે આ બાકોરાંથી પાડાને ઓળંગી જવાય કે નહીં. એક દિવસ, બે દિવસ નહીં પરંતુ આખી એક સીઝન વિચાર્યું. પછી એક દિવસ મન મક્કમ કરીને તેમણે નિર્ણય કરી લીધો. ઘેરથી ખેતરે જવાં નીકળ્યાં અને પાડાની સામે આવીને ઊભા રહ્યાં. આજ તો બસ પાડો પાર કરવો જ છે. એમણે તો હડી કાઢીને દોટ મૂકી અને જેવો પાડાના શિંગડામાં દાખલ થવા પ્રયત્ન કર્યો કે પાડો ભડકીને ઊભો થયો અને શિંગડામાં ભરાયેલા પશાભાઈના ભુક્કા કાઢી નાંખ્યા. ગામલોકો દોડીને ભેંગા થઈ ગયા. માંડમાંડ પાડાના શિંગડામાંથી પશાભાઈ ને બહાર કાઢ્યા અને દવાખાને લઈ ગયા. દાખલ કરવા પડ્યાં. પાટાપિંડી થઈ. ચારેક દિવસ પછી ઘેર લાવ્યા. અડોશીપડોશી અને સગાવ્હાલાંનો ખબર કાઢવા તાંતો લાગ્યો. જે આવે તે બધાં એક જ વાત પૂછે, પશાભાઈ કંઈક વિચાર તો કરવો હતો? ભલાદમી પાડાના શિંગડામાંથી તે કંઈક નિકળાય? પશોભાઈ પહેલાં તો મૌન રહ્યાં પરંતુ જે આવે તે એક જ વાત પૂછે તેથી અકળાઈ ઉઠ્યાં અને બોલ્યાં, મેં એક આખું વરસ વિચારીને આ પગલું ભર્યું છે. રોજ પાડાને અને તેનાં શિંગડાંને જોતો અને વિચારતો કે તેમાંથી કેવી રીતે બહાર જવાય? મેં કંઈ વિચાર્યા વિના પગલું ભર્યું નથી.
આપણું પડોશી પાકિસ્તાન ચાર વાર હાર્યું છતાં તેનો પાડાના શિંગડામાંથી બહાર નીકળવાનો વિચાર જતો નથી. આ વખતે પાંચમીવાર પણ તેનો ભુક્કો નીકળી ગયો. આ વાર્તાના પશાભાઈ આપણામાંથી પણ ઘણાં હશે. જીવનમાં ક્યારેક તો પશાભાઈના જેવો પાડાના શિંગડામાંથી નીકળવાનો અખતરો જરૂર કર્યો હશે. જો ના કર્યો હોય તો ના કરતાં, નહિતર ભુક્કા બોલી જવાના એ નક્કી. 😂
Powered by Blogger.